તાલિબાન ખુશ હુવા: હિન્દુ અને શીખોને જમીન પરત આપશે
- 10 Apr, 2024
છેલ્લા થોડા વર્ષોથી અફઘાનિસ્તાનમાં સત્તાનું સુકાન સંભાળી રહેલા તાલિબાનના શાસકો હાલ ભારત સાથે રાજદ્રારી સંબંધો સુધારવાની દિશામાં સતત આગળ વધી રહ્યાં છે. હવે તાલિબાન અધિકારીઓએ અફઘાનિસ્તાન સ્થિત હિન્દુ અને શીખ લધુમતીને તેમની જમીનો પરત કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમી દેશોનું સમર્થન કરનારી સરકારો દરમિયાન તેમની જમીનોને છીનવી લેવામાં આવી હતી.
ભારતીય અધિકારીઓ આ ઘટનાક્રમને ભારત પ્રત્યેના તાલિબાનના સકારાત્મક સંકેતના રૂપમાં જુએ છે. હિન્દુ અને શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનાર સંસદસભ્ય નરેન્દ્રસિંહ ખાલસા તાજેતરમાં જ કેનેડાથી અફઘાનિસ્તાન પરત ફર્યા છે.
વિદેશી જમીન પર પીડિત એવા લધુમતીઓને નાગરિકતા આપવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ નાગરિકતા સંશોધન અધિનિયમ એટલે કે સીએએને લાગુ કર્યો છે. આ બિલ અગાઉ સંસદમાંથી પાસ થઈ ચુક્યું છે. લોકસભા ચૂંટણી પહેલા આ બિલને લાગુ કરવામાં આવ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ